આ દિવસો માં માર્કેટ માં ખજૂર ની ઘણી જાતિ મળી રહે છે. ખજૂર ના ઘણા વિજ્ઞાનિક લાભ પણ છે. ખજૂર ખાવાથી ડીહાઇડ્રેશન ની સમસ્યા નથી થતી. તેના થી કમજોરી પણ નથી આવતી. આજે આપણે ખજૂર ના એવા ફાયદા વિષે જાણીશું.
1 જે લોકો નું પેટ સાફ નથી રહેતું, કબજિયાત ની સમસ્યા રહે છે તેમના માટે ખજૂર નું સેવન ખુબજ ફાયદાકારક સાબિત થઇ શકે છે. રોજે સવારે ઉઠીને ખાલી પેટ ચાર થી પાંચ ખજૂર ખાવામાં આવે તો પેટ ના આતર માં ચોટેલી ગંદગી સાફ થાય છે.
2 જે લોકો ને સાંધા નો દુખાવો રહે છે તેને દૂધ ની સાથે ખજૂર પીવાથી ફાયદો થાય છે તેમજ તેમાં ઘી પણ નાખી શકો છો.
3 જેના શરીર માં લોહીની ઉણપ છે તેને લગાતાર 21 દિવસ સુધી સવારે 5 ખજૂર ખાવા જોઈએ. આવું કરવાથી લોહીમાં આયરન ની ઉણપ દૂર થાય છે અને હિમોગ્લોબીન વધવામાં મદદ થાય છે.
4 જો તમારા બાળક નો સરખી રીતે વિકાસ નથી થઇ રહ્યો તો તેને રોજે 10 ગ્રામ ભાત ના પાણી માં ખજૂર પીસીને ખવરાવો જેનાથી બાળક જલ્દી હૃષ્ટ પુષ્ટ થઇ જશે.
5 જે લોકો પતલા છે તેમણે રોજે ચાર થી પાંચ ખજૂર ખાવા જોઈએ. તેનાથી શરીર ભરાવા લાગશે અને કમજોરી દૂર થશે.
6 જે લોકોને આળસ આવે છે અને થાક નો અહેસાસ થાય છે તેણે ખજૂર નું સેવન કરવું જોઈએ. તેમાં રહેલા વિટામિન્સ એ અને સી સહીત અન્ય પોષક તત્વ શરીર ની ઇમ્યુનીટી વધારવામાં મદદ કરે છે.
7 ખજૂર હાડકાને મજબૂત કરવામાં પણ ખુબજફ ફાયદાકારક છે. તેને દૂધ ની સાથે ખાવાથી કેલ્શિયમ ની ઉણપ દૂર થાય છે. તેનાથી હાડકા મજબૂત થાય છે.
8 ખજૂર માં જરૂરી માત્ર માં ગ્લુકોજ, ફ્રક્ટોઝ અને સુક્રોઝ મળી રહે છે. તેને ખાવાથી શરીર માં તરત એનર્જી મળી રહે છે. તેના થી ડીહાઇડ્રેશન ની સમસ્યા પણ નથી થતી.
9 ખજૂર માં પોટેન્શિયમ અને થોડી માત્રા માં સોડિયમ પણ હોય છે. આ શરીર ના તંત્રિકા તંત્ર ને ઠીક કરવામાં મદદ કરે છે.