આ ઉપાય ની મદદ થી માત્ર 3 રૂપિયા માં બનાવો ઘરેજ મચ્છર ભગાડવાનું લીકવીડ, છે એકદમ અસરકારક, તુરત જ ભાગશે…….

0

આજકાલ  મચ્છરોનો પ્રકોપ ત્રણેય ઋતુમાં પણ વધતો જ જઈ રહ્યો છે જે સામાન્ય વ્યક્તિઓ માટે ઘણી વધારે મુશ્કેલીની વાત છે.

મચ્છર આમ તો ખુબ જ સામાન્ય લાગે છે પરંતુ આ મચ્છરોમાં કેટલાક એવા મચ્છરો પણ હોઈ છે જેના કરડવાથી આપણે જીવલેણ રોગ નો સામનો કરવો પડે છે.

મચ્છર કરડવાથી વ્યક્તિને ઘણા રોગ થઈ શકે છે જેવા કે, મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિય વગેરે રોગ થાય છે.

ઘણી વાર વ્યક્તિ મચ્છર કરડી ગયા પછી તેને નજરઅંદાજ કરે છે તેના કારણે ક્યારેક શરીરમાં તેનો વ્યાપ વધી જાય છે જેના પરિણામ સ્વરૂપ માણસ પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે.

એટલા માટે આજે અમે આપને મચ્છરોના ત્રાસથી છુટકારો મેળવવા માટે એક અસરકારક ઉપાય વિષે જણાવીશું.

વ્યક્તિને મચ્છરોના કરડવાથી ફક્ત એક જ નહી ઉપરાંત અનેક પ્રકારની બીમારીઓ થતી રહે છે. આવા સમયમાં મચ્છરોથી બચવું ખુબ જ જરૂરી થઈ જાય છે.

જો આપ પણ આપના ઘરમાં મચ્છરોના ત્રાસથી ઘણા હેરાન થઈ રહ્યા છો તો આપે મચ્છરોથી બચવા માટે કેટલાક પ્રકારના લિક્વિડનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આપને વધારે પૈસાનો ખર્ચ કરવાની જરૂરિયાત બિલકુલ પણ નથી

કેમ કે, આજે અમે આપને આ લેખમાં એક એવા ઉપાય વિષે જણાવીશું જેનો ઉપયોગ કરીને આપ ફક્ત ૩ રૂપિયામાં જ આપ આપના ઘરે મચ્છરોને આવનાર એક વર્ષ માટે લિક્વિડને તૈયાર કરી શકો છો. ચાલો જાણીએ શું છે આ ઉપાય.

જો આપની પાસે કોઇપણ કંપનીની રીફીલ મશીન છે, ત્યારે તેના લિક્વિડને આપ ઘરે જ બનાવી શકો છો. આ લિક્વિડને બનાવવા માટે આપને ફક્ત કપૂર અને ટારપીન આ બંને વસ્તુની જરૂરિયાત રહેશે. કપૂર આપને કરીયાણાની દુકાન પરથી સરળતાથી ખરીદી શકશો.

જયારે ટારપીન આપને હાર્ડવેરની દુકાન પર થઈ સહેલાઈથી મેળવી શકો છો. કપૂર અને ટારપીન આ બંને વસ્તુઓ વધારે મોંઘી પણ હોતી નથી.

આપે એક લીટર ટારપીન અને એક પેકેટ કપૂરનો ઉપયોગ કરીને અંદાજીત બે વર્ષ એટલા કે ૨૪ મહિનાઓ સુધી ઉપયોગ કરી શકો એટલું મચ્છરોને મારવાનું લિક્વિડ આપ તૈયાર કરી શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here