એક શહેર માં એક શેઠ રાહતો હતો જેની પાસે બોલતો પોપટ હતો. શેઠ રોજે સાંજે મહાત્મા નો સત્સંગ સાંભળવા જતા હતા.
જયારે આ વાત પોપટ ને ખબર પડી તો પોપટ એ એક દિવસ શેઠ ને કહ્યું કે આજે જયારે તમે મહાત્મા ને માળો ત્યારે મારા તરફ થી એક પ્રશ્ન પૂછજો. શેઠ એ કહ્યું ઠીક છે તું તારો સામેલ મને કહે.
પોપટ એ કહ્યું કે તમે મહાત્માજી ને પૂછજો કે મને આજાદી ક્યારે મળશે.
શેઠ મહાત્માજી ના સત્સંગ માં પહોંચ્યા. સત્સંગ જયારે પૂર્ણ થયો ત્યારે લોકો મહાત્માજી ને સવાલ પૂછવા લાગ્યા. શેઠ એ પણ મહાત્માજી ને બધીજ વાત કહી અને પોપટ દ્વારા જે પ્રશ્ન કહ્યો હતો તે પણ પૂછ્યો.
સવાલ પૂછતાં ની સાથેજ મહાત્માજી બેભાગ થઇ ગયા. જેમ તેમ કરીને તેમને ભાન માં લાવવા માં આવ્યા.
જયારે રાત્રે શેઠ ઘરે પહોંચ્યા ત્યારે પોપટ એ પૂછ્યું કે મહાત્માજી એ મારા પ્રશ્ન નો શું જવાબ આપ્યો. શેઠ એ પોપટ ને સંપૂર્ણ વાત કહી.
આ બધુજ સાંભળતા પોપટ મરી ગયો. આ બધુજ જોઈને શેઠને આશ્ચર્ય થયો. તેને પીંજરું ખોલ્યું તો પોપટ તરતજ ઉડીને ભાગી ગયો.
શેઠને ખબર પડી ગઈ કે પોપટ મર્યો ન હતો પરંતુ મારવાનું નાટક કરી રહ્યો હતો. આગળ ના દિવસે શેઠ મહાત્માજી પાસે સત્સંગ માં પહોંચ્યા ત્યારે શેઠ એ મહાત્માજી ને પોપટ વાળી સંપૂર્ણ ઘટના કહી.
મહાત્માજી એ કહ્યું કે તારો પોપટ ખુબજ સમજદાર નીકળ્યો. તેને મારા દ્વારા કહેવામાં આવેલો જવાબ સમજ માં આવી ગયો અને તે આઝાદ થઇ ગયો.
કહાની નો સાર
આ કહાની થી આપણ ને શિક્ષા મળે છે કે શેઠ રોજે સત્સંગ માં જતા હતા. તે સંત ની સારી વાતો ને સાંભળે છે. પરંતુ તેમને તેમના જીવન માં ઉતારી નથી શકતો.
જયારે તેમને ખબર પણ છે કે મહાત્માજી દ્વારા કહેવામાં આવેલી વાતો ફાયદાકારક છે. આજ રીતે આપણે ઘણીવાર સકારાત્મક વાતો ને ધ્યાન માં લેતા નથી.